મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ઉજવાશે

સમગ્ર વિશ્વમાં 21 મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં તા.21-6 ના રોજ સવારે 7-30 થી 8 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ ઉપર  સરદારબાગની સામે આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.કાર્યક્રમમાં આવનારે યોગ નેટ કે પાથરણું લઈને આવવા જણાવાયેલ છે.

આ તકે ઓમશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ઈન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો અને યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સભ્યો ઉપસ્થિત રહેશે.ઈન્ડિયન લાયન્સ ક્લબ તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના ટીચરો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે.તેમ ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિર કારીઆ અને સેક્રેટરી કેતનભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે. 






Latest News