મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ


SHARE









મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ

તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનેલ છે. તેવી ઘટના ભવિષ્યમાં અન્ય જીલ્લા કે શહેરમાં ન બને તેના ભાગરૂપે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે ખુબ જ પ્રસંશનીય કામગીરી છે.પરંતુ નોટીશ ફટકારીને આઠ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવાની વાત કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કારણ કે આટલા સમય સુધી પાલિકા તંત્ર સૂતું હતું અને રાજકોટની ઘટનાને પગલે તંત્ર સફળુ જાગ્યું છે ત્યારે ટૂંકો ટાઈમ આપીને વેપારીઓને બાનમાં લેવામાં આવતા હોય તે રીતે નોટિશો ફટકારવામાં આવી રહી છે તે યોગ્ય નથી. માટે કોંગ્રેસ દ્વારા વેપારીઓને ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં માટે યોગ્ય સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીના કામ માટે નોટીસો મોકલવામાં આવેલ છે.જે નોટીસમાં ફાયર સેફટીની કામગીરી આઠ દિવસમાં કરવા જણાવેલ છે.જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયેલ છે.તેમજ હાલમાં મોરબીમાં ટેકનીકલ સાધનોનો અભાવ હોય, ફાયર સેફટીની કામગીરી કરી શકે તેવા કારીગરોનો અભાવ હોય, મોરબી શહેરમાં આટલા ટુંકા સમયગાળામાં ફાયર સેફટીના સાધનો લગાવવા અશકય છે.જેના કારણે મોરબી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વેપારીઓને ફાયર સેફટી અંગે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જાણકારી આપીને આયોજનપૂર્વક કામગીરી કરવી જોઈએ અને ફાયર એજન્સીઓ દ્વારા વેપારીઓને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ઉંચા ભાવ ન આપવવામાં આવે તેની તકેદારી રાખવી જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ હંમેશા વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેલ છે અને ભવિષ્યમાં વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેશે.જેથી વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને ફાયર સેફટી માટે યોગ્ય સમય આપી નિરાકરણ લાવે તે જરૂરી છે. આ અંગે જરૂર પડયે જીલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્નો કરીશું.તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ) એ યાદીમાં જણાવેલ છે.






Latest News