મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 16,000 ની રોકડ સાથે ઝડપાયા મોરબી જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો-ગ્રાહકોના પ્રશ્નો-મુશ્કેલીઓ દુર કરવા મંત્રીને રજૂઆત મોરબીના રફાળેશ્વર ગામે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: માળીયા-મોરબીમાં દારૂની 5 બોટલ ઝડપાઇ મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ


SHARE













મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ

તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનેલ છે. તેવી ઘટના ભવિષ્યમાં અન્ય જીલ્લા કે શહેરમાં ન બને તેના ભાગરૂપે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે ખુબ જ પ્રસંશનીય કામગીરી છે.પરંતુ નોટીશ ફટકારીને આઠ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવાની વાત કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કારણ કે આટલા સમય સુધી પાલિકા તંત્ર સૂતું હતું અને રાજકોટની ઘટનાને પગલે તંત્ર સફળુ જાગ્યું છે ત્યારે ટૂંકો ટાઈમ આપીને વેપારીઓને બાનમાં લેવામાં આવતા હોય તે રીતે નોટિશો ફટકારવામાં આવી રહી છે તે યોગ્ય નથી. માટે કોંગ્રેસ દ્વારા વેપારીઓને ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં માટે યોગ્ય સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીના કામ માટે નોટીસો મોકલવામાં આવેલ છે.જે નોટીસમાં ફાયર સેફટીની કામગીરી આઠ દિવસમાં કરવા જણાવેલ છે.જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયેલ છે.તેમજ હાલમાં મોરબીમાં ટેકનીકલ સાધનોનો અભાવ હોય, ફાયર સેફટીની કામગીરી કરી શકે તેવા કારીગરોનો અભાવ હોય, મોરબી શહેરમાં આટલા ટુંકા સમયગાળામાં ફાયર સેફટીના સાધનો લગાવવા અશકય છે.જેના કારણે મોરબી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વેપારીઓને ફાયર સેફટી અંગે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જાણકારી આપીને આયોજનપૂર્વક કામગીરી કરવી જોઈએ અને ફાયર એજન્સીઓ દ્વારા વેપારીઓને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ઉંચા ભાવ ન આપવવામાં આવે તેની તકેદારી રાખવી જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ હંમેશા વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેલ છે અને ભવિષ્યમાં વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેશે.જેથી વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને ફાયર સેફટી માટે યોગ્ય સમય આપી નિરાકરણ લાવે તે જરૂરી છે. આ અંગે જરૂર પડયે જીલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્નો કરીશું.તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ) એ યાદીમાં જણાવેલ છે.








Latest News