વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ


SHARE













મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ

તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનેલ છે. તેવી ઘટના ભવિષ્યમાં અન્ય જીલ્લા કે શહેરમાં ન બને તેના ભાગરૂપે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે ખુબ જ પ્રસંશનીય કામગીરી છે.પરંતુ નોટીશ ફટકારીને આઠ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવાની વાત કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કારણ કે આટલા સમય સુધી પાલિકા તંત્ર સૂતું હતું અને રાજકોટની ઘટનાને પગલે તંત્ર સફળુ જાગ્યું છે ત્યારે ટૂંકો ટાઈમ આપીને વેપારીઓને બાનમાં લેવામાં આવતા હોય તે રીતે નોટિશો ફટકારવામાં આવી રહી છે તે યોગ્ય નથી. માટે કોંગ્રેસ દ્વારા વેપારીઓને ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં માટે યોગ્ય સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીના કામ માટે નોટીસો મોકલવામાં આવેલ છે.જે નોટીસમાં ફાયર સેફટીની કામગીરી આઠ દિવસમાં કરવા જણાવેલ છે.જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયેલ છે.તેમજ હાલમાં મોરબીમાં ટેકનીકલ સાધનોનો અભાવ હોય, ફાયર સેફટીની કામગીરી કરી શકે તેવા કારીગરોનો અભાવ હોય, મોરબી શહેરમાં આટલા ટુંકા સમયગાળામાં ફાયર સેફટીના સાધનો લગાવવા અશકય છે.જેના કારણે મોરબી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વેપારીઓને ફાયર સેફટી અંગે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જાણકારી આપીને આયોજનપૂર્વક કામગીરી કરવી જોઈએ અને ફાયર એજન્સીઓ દ્વારા વેપારીઓને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ઉંચા ભાવ ન આપવવામાં આવે તેની તકેદારી રાખવી જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ હંમેશા વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેલ છે અને ભવિષ્યમાં વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેશે.જેથી વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને ફાયર સેફટી માટે યોગ્ય સમય આપી નિરાકરણ લાવે તે જરૂરી છે. આ અંગે જરૂર પડયે જીલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્નો કરીશું.તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ) એ યાદીમાં જણાવેલ છે.






Latest News