વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?


SHARE













મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ખેડૂતના ખેતરની બાજુની ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કેમીકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે. જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી. તે પ્રદુષણ અટકાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીમાં ૧૧ દિવસ પહેલા રજૂઆત કરી હતી તો પણ હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરવાની પણ તસ્દી લીધેલ નથી અને વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે. તે જમીનનાં સેઢે ગ્રેનાઈટો એલએલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં કાઢે છે. જેના પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. અને ખેતરમાં નકામા છોડ નો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કરીને ખેડૂતની આજીવિકા સામે સવાલ ઊભો થયેલ છે ત્યારે પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તા. 10/6/24 નાં રોજ કરી હતો તો પણ આજની તારીખે કોઈ અધિકારી ત્યાં તપાસ માટે પણ આવેલ નથી અને હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી શક્યતા છે તો પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારી કેમ કામ કરી રહ્યા નથી તે સૌથી મોટો સવાલ છે.






Latest News