મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?


SHARE









મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ખેડૂતના ખેતરની બાજુની ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કેમીકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે. જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી. તે પ્રદુષણ અટકાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીમાં ૧૧ દિવસ પહેલા રજૂઆત કરી હતી તો પણ હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરવાની પણ તસ્દી લીધેલ નથી અને વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે. તે જમીનનાં સેઢે ગ્રેનાઈટો એલએલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં કાઢે છે. જેના પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. અને ખેતરમાં નકામા છોડ નો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કરીને ખેડૂતની આજીવિકા સામે સવાલ ઊભો થયેલ છે ત્યારે પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તા. 10/6/24 નાં રોજ કરી હતો તો પણ આજની તારીખે કોઈ અધિકારી ત્યાં તપાસ માટે પણ આવેલ નથી અને હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી શક્યતા છે તો પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારી કેમ કામ કરી રહ્યા નથી તે સૌથી મોટો સવાલ છે.






Latest News