મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા (58) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલમાં બે દિવસના બાળકને છોડીને મા-બાપ ચાલ્યા ગયા..!
મોરબીની સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રેગ્નન્સી બાદ જન્મેલ બેબી વેલાબેન તોલસિંગ દામજીભાઇ ભુરીયા (ઉ.વ.2 દિવસ) નામના બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે જ મૂકીને માતા-પિતા ચાલ્યા ગયા હતા.જેથી કરીને સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટી઼ાફના ધ્રુવરાજસિંહ ઝાલાએ તપાસ ચલાવી હતી.જેમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલા જ એક બાળકનો જન્મ થયો હતો અને જન્મ બાદ તેના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા..! જેના આધારે તપાસ ચલાવામાં આવતા સામે આવ્યું હતું કે તે બાળકના માતા-પિતાના સગામાં કોઈ અન્ય બાળક ગુમ થઈ ગયો હતો જે બાબતની જાણ થતા તેઓ ત્યાં ગયા હતા..! જોકે તાજા જન્મેલા બાળકને છોડીને કોઈ કેમ ચાલી જાય તે પણ એક તપાસનો વિષય છે.

બાળક સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારનો અરૂન અન્દુભાઈ ભુરીયા નામનો 11 વર્ષનો બાળક તેના ઘર નજીક સાયકલ લઈને જતો હતો ત્યારે તેના ઘર પાસે આવેલી યદુનંદન ગૌશાળા નજીક તે સાઇકલ સહિત નીચે પડી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરીને પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News