વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા (58) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલમાં બે દિવસના બાળકને છોડીને મા-બાપ ચાલ્યા ગયા..!
મોરબીની સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રેગ્નન્સી બાદ જન્મેલ બેબી વેલાબેન તોલસિંગ દામજીભાઇ ભુરીયા (ઉ.વ.2 દિવસ) નામના બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે જ મૂકીને માતા-પિતા ચાલ્યા ગયા હતા.જેથી કરીને સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટી઼ાફના ધ્રુવરાજસિંહ ઝાલાએ તપાસ ચલાવી હતી.જેમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલા જ એક બાળકનો જન્મ થયો હતો અને જન્મ બાદ તેના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા..! જેના આધારે તપાસ ચલાવામાં આવતા સામે આવ્યું હતું કે તે બાળકના માતા-પિતાના સગામાં કોઈ અન્ય બાળક ગુમ થઈ ગયો હતો જે બાબતની જાણ થતા તેઓ ત્યાં ગયા હતા..! જોકે તાજા જન્મેલા બાળકને છોડીને કોઈ કેમ ચાલી જાય તે પણ એક તપાસનો વિષય છે.

બાળક સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારનો અરૂન અન્દુભાઈ ભુરીયા નામનો 11 વર્ષનો બાળક તેના ઘર નજીક સાયકલ લઈને જતો હતો ત્યારે તેના ઘર પાસે આવેલી યદુનંદન ગૌશાળા નજીક તે સાઇકલ સહિત નીચે પડી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરીને પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News