મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું
મોરબી: નવલખી રોડ કુબેરનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબી: નવલખી રોડ કુબેરનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓસરીમાં છતમાં લગાવેલ હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને આ બનાવની મૃતકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં રહેતા જયેશભાઈ અશોકભાઈ કાચરાણી જાતે લોહાણા (36) નામના યુવાને પોતે પોતાના ઘરે અગાસીમાં છતમાં લગાવેલ હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ લીલાધરભાઇ કાચરાણી જાતે લોહાણા (66) રહે. ત્રિલોકધામ મંદિર વાળી શેરી કુબેરનગર મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા બે પકડાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાછળ રોહીદાસપરા મેઇન રોડ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સુનિલભાઈ હેમુભાઈ ગણેશિયા જાતે કોળી (24) અને મગનભાઈ મૂળજીભાઈ ઇટોદરા જાતે કોળી (23) રહે. બંને વીસીપરા ચાર ગોદામ પાછળ રોહીદાસપરા મેઈન રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1160 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છ