મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા


SHARE













હળવદમાંથી ગુમ થયેલ પરિણીતાની નર્મદાની કેનાલમાંથી લાશ મળી: ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ ગયા

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર બે દિવસ પહેલા નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવેલ છે અને બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (28)એ તેઓના પત્ની મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી અને તેમણે જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલ મહિલાના પતિએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ગુમ થયેલ મંજુલાબેન મનોજભાઈ પરમારની લાશ આજે નર્મદા કેનાલમાંથી મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.




Latest News