ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત


SHARE













હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં એક શ્રમિક ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની બોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ હતી અને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનવાની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયાદ પાસેથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમ પાસે જયંતીભાઈ ગોવિંદભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતાં રાજુભાઈ અમરશીભાઈ પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે હળવદ પાલિકાની ટિમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને નવા માલણીયાદ પાસેથી કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશને પીએમ માટે હળવદની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News