હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત
SHARE
હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત
હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં એક શ્રમિક ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની બોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ હતી અને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનવાની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયાદ પાસેથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમ પાસે જયંતીભાઈ ગોવિંદભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતાં રાજુભાઈ અમરશીભાઈ પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે હળવદ પાલિકાની ટિમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને નવા માલણીયાદ પાસેથી કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશને પીએમ માટે હળવદની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.









