મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે હત્યાની કોશિશ-રાયોટિંગના કેસમાં કોર્ટે 6 આરોપીઓને 10 વર્ષની સજા


SHARE







વાંકાનેરના કોઠી ગામે હત્યાની કોશિશ-રાયોટિંગના કેસમાં કોર્ટે 6 આરોપીઓને 10 વર્ષની સજા

વાંકાનેર તાલુકાનાં કોઠી ગામે છેડતી કરવા મુદે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની બંને પક્ષેથી સામસામી ફરિયાદ પણ નોંધાયેલ હતી. જે બંને કેસ મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યા હતા તેવામાં આજે એક કેસનો ચુકાદો આવેલ છે જેમાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવોઓને ધ્યાને રાખીને 6 આરોપીઓને 10 વર્ષની સજા અને 1.20 લાખનો દંડ કર્યો છે.

હાલમાં આ કેસની માહિતી મોરબીના મદદનીસ સરકારી વકીલ પાસેથી મળી રહી છે તે મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં કોઠી ગામે સતાભાઈ લાખાભાઈ મુંધવા (35)એ તા 11/9/2004 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા રહે. બધા જ કોઠી ગામ વાળાની હત્યાની કોશિશ અને રાયોટિંગની ફરિયાદ નોંધાવેલ હતી

જેમાં તેને જણાવ્યુ હતું કે છેડતી કરવા મુદે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેથી નવઘણ દેવાભાઈએ સમાધાન માટે ખેતા ખેંગારભાઈને કહ્યું હતું બાદમાં ફરિયાદી તેમજ રાઘવભાઈ ખેંગારભાઈ અને હઠાભાઈ ખેંગારભાઈ ઘરે હતા ત્યારે આરોપીઓએ તેના ઘરે લાકડીઓ લઈને આવીને હુમલો કર્યો હતો. જે ગુનામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કરેલ દલીલો અને મૌખિક 23 તેમજ દસ્તાવેજી 62 પુરાવા ધ્યાને લઈને કોર્ટે 6 આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 1.20 લાખનો દંડ કર્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે સાત આરોપીઓની સામે ગુનો નોંધાયો હતો. અને કેસની ટ્રાયલ દરમ્યાન આરોપીઓ પૈકીનાં રૈયા જગમાલ સરૈયાનું અવસાન થયેલ છે. જેથી કરીને કોર્ટે હાલમાં 6 આરોપીઓને સજા ફટકારી છે અને ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ- 357 (3) અનુસાર અપીલ પીરીયડ બાદ આ આ ઘટનામાં ઈજા પામેલા હઠાભાઈ ખેંગારભાઈને બે લાખ રૂપિયા અને આરોપીઓ દંડની રકમ ભરે તો તે સહિત કુલ 3.20 વળતર પેટે આપવા હુકમ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીનાં એક એકનો આજે ચુકાદો આવી ગયેલ છે અને બીજા કેસનો આવતીકાલે તા. 26 ને બુધવારે ચુકાદો આવશે. તેવું સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે






Latest News