ટંકારા આઇટીઆઇ ઉપર વરસાદી વીજળી પડતાં લર્નિંગ લાયસન્સની કામગીરી ૨૯ મી સુધી બંધ
મોરબીના ભરતનગર-રવાપર નદી ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના ભરતનગર-રવાપર નદી ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાના ભરતનગર અને રવાપર નદી ગામે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ. કે.વઢવાણિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને ગામની પ્રાથમિક શાળાઓમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ બન્યો છે. ત્યારે ભરતનગરમાં કુલ 50 બાળકોને પ્રવેશ આપ્યો હતો અને રવાપર નદીની શાળામાં 42 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલ તેમજ ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા