મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

તંત્રની પ્રિ મોનસુન કામગીરીનો છેદ ઉડાવતા મેઘરાજા: મોરબીના અનેક વિસ્તારો બે ઇંચ વરસાદમાં બેટ !, લોકો હેરાન


SHARE















મોરબી શહેરી વિસ્તારમાં આજે 11:00 વાગ્યાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કર્યું હતું અને એક કલાકમાં મન મૂકીને મોરબી ઉપર હેત વસાવતા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવતી હતી તેની પોલ ખોલી નાખી હતી અને મોરબીના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 

સમગ્ર ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયુ છે. અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો આજે સવારે 11:00 વાગ્યાથી મોરબી શહેરી વિસ્તારની અંદર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને 11 થી 12 અંદાજે એક કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવી માહિતી પાલિકામાંથી જાણવા મળી છે. અને પ્રથમ બે ઇંચ જેટલા વરસાદમાં જ મોરબી શહેરના સનાળા રોડ, લાતી પ્લોટ, મહેન્દ્ર પરા, માધાપરા, ઋષિકેશ વિદ્યાલય સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલય પાસે વેપારીઓની દુકાનમાં તેમજ લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હોય જો વધુ વરસાદ થશે તો શું થશે તેની ચિંતા અત્યારથી જ લોકોને સતાવી રહી છે. મોરબીના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેમ છતાં પણ તેનો કાયમી નિકાલ આજ સુધી પાલિકા તંત્ર લાગ્યું નથી જેના કારણે આ ચોમાસામાં પણ લોકોને હેરાન થવું પડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.






Latest News