મોરબીના વેપારી યુવાનને વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ અપાવવાની કહીને 65,000 ની છેતરપિંડી
ટંકારામાં ઝેરી જંતુ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1719805852.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1720201521.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1717352591.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1720201388.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1719501595.jpg)
ટંકારામાં ઝેરી જંતુ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત
ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લાવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા જાતે આદિવાસીનો દીકરો સાત વર્ષનો દીકરો આશિક બારીયા ઘરે ઝૂપડામાં સાંજના 6:00 વાગ્યાના અરસામાં સૂતો હતો અને તે ઉઠ્યો ત્યારે તેના ખબર પડી કે કોઈ ઝેરી જંતુ કરડી જતાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યાવહી કરેલ છે અને વધુ તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ભવાની ચોક વિશ્વકર્મા મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં હસમુખભાઇ કાળીદાસભાઇ શેઠ (ઉમર ૭૨) રહે.ટાવર ચોક પાસે સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને ખાનદી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1719242284.jpg)