મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકનું મોત: ચરાડવામાં યુવાને અંતિમ પગલું ભર્યું 


SHARE













મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકનું મોત: ચરાડવામાં યુવાને અંતિમ પગલું ભર્યું 

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ બંને બનાવની સ્થાનિક પોલીસ મથકોને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઇતેશભાઈ કીકડિયાનો આઠ વર્ષનો બાળક રોહન કોઈ કારણોસર નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે આ બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને પાણીમાંથી તે બાળકની ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારી જે.પી. વસિયાણીને સોંપવામાં આવેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અરવિંદભાઈ કરસનભાઈની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા જગનભાઈ ક્રિષ્નાભાઈ રાવટાલા (47) નામના યુવાને વાડીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું છે આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News