મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા-સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી બાવળીયા


SHARE



























વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા-સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી બાવળીયા

મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીનો પ્રશ્ન છે ત્યાં શું ક્ષતિ રહેલી છે તે જાણી ક્ષતિ નિવારવાની કામગીરી કરવા તેમજ ત્યાં સુધી પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ જણાવ્યું હતું.  જ્યાં પાણી પહોંચતું નથી તેવા ગામોમાં એજન્સીઓ દ્વારા ટેન્કર શરૂ કરાવી એજન્સીઓને નોટિસ આપવા પણ મંત્રીએ ભાર પૂર્વક સૂચના આપી હતી. આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.
















Latest News