મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ


SHARE

















મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ
 

રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિન્દુઓ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેનો વિરોધ ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં કમલેશભાઈ બોરિચાની આગેવાનીમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ જેમાં મહાકાલ ગ્રૂપ, એકતા એજ લક્ષ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, ઠાકોર સેના, મહાકાલ સેના તથા અન્ય સામાજિક સંગઠનના હોદેદારો સહિતના લોકો જોડાયા હતા અને રાહુલ ગાંધી હાય હાય, પપ્પુ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીના પૂતળાને પેટ્રોલ છાંટીને લઈ આવ્યા હતા. જો કે, તેને કાંડી ચાંપવામાં આવે તે પહેલા પોલીસે હિન્દુ સંગઠનના આગેવાનો પાસેથી પૂતળું આંચકી લીધું હતું. ત્યાર બાદ આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હતા અને દેશની સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાઇ તેવી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરી હતી અને જો માફી નહિ માંગે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.




Latest News