મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ: 23 પેટી  નકલી દારૂ સહિત 20 લાખના મુદામાલ સાથે 5 પકડાયા હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે


SHARE





વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર મંડળ- કોઠારીયા (રાજકોટ) દ્વારા ઉજવણી કરાશે.આવતી કાલ તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં કલાકારો જીતુભાઈ રાવળ, યોગેશભાઈ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.

જયારે તા.૭ ને રવિવારે અષાઢીબીજના રોજ બાવન ગજની ધજા ચડાવાશે.તે ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજ નિમિતે ભાવિકભક્તો દ્વારા ચડાવવામાં આવે છે.યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે.સર્વે શ્રધ્ધાળુઓને પધારવા મહંત રણછોડદાસજી તેમજ ખોડીદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News