મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કંપની દ્વારા પોલીસ બદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના આગેવાનો સહિત 100 થી વધૂ લોકો એકત્રિત થયા હતા અને જો પૂરું વળતર કંપની દ્વારા નહીં આપવામાં આવે તો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ હાલમાં પોલીસ પ્રોટેકશન અને એસઆરપીના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારેજીયા સહિતના ગામના ખેડૂતો સ્થળ ઉપર એકત્રિત થયા હતા અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવી રહ્યું નથી અને અગાઉ વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું. તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતને કંપની તરફથી પૂરું વળતર કેમ આપવામાં વતું નથી તે સૌથી મોટો સવાલ છે. અને સૌથી મોટી વાતએ છે કે, ખેડૂતોને કોઈ સાંભળતું પણ નથી ત્યારે વીજ લાઇન પથરવાનું કામ કરતી કંપની દ્વારા જો વળતર પૂરું નહીં આપવામાં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખાખરેચી ગામના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News