માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત


SHARE











મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ વાડીમાં માલીકીની જમીના ગેરકાયદે પાણીની લાઇન પથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ખેડૂત દ્વારા આ કામને તાત્કાલિક બંધ કરવામાં આવે તેના માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.  

મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ ઘૂડની વાડીમાં રહેતા સંજયભાઈ છગનભાઈ ડાભીએ ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વજેપરના સર્વે નંબર ૭૧૮ માં માલીકીની જમીન આવેલ છે તેમાં ગેરકાયદસર રીતે પાણીની લાઈન તથા વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં ખેડૂતે જણાવ્યુ છે કે, જમીન ખાતેદારોની માલીકીની છે અને ખંડ મોટો હોય તેમાં ઘણાં બધા ખેડુત ખાતેદારો છે જેથી તમામને તેમની જમીનમાં આવવા જવા માટે જમીનની ઉતર શેઢ આશરે આઠ ફુટનો રસ્તો બાપદાદાના વખતથી રાખેલ છે. અને આ રસ્તો ખાનગી રસ્તો છે. અને જમીનની માલીકી પણ તેઓની જ છે.

તેમ છતાં પણ માલીકીના રસ્તામાં નવો હકક ઉભો કરવા કેસ મામલતદારમાં કરવામાં આવેલ છે. અને મામલતદારએ એકતરફી રજુઆતોને ધ્યાને લઈ તા. ૨૩/૪/૨૪ ના રોજ રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો છે. જેથી કરીને તેની સામે ખેડૂતે નાયબ કલેકટરની કોર્ટમાં રીવીઝન અરજી કરેલ છે જે પેન્ડીંગ છે. તો પણ અધિકારી પોલીસને સાથે રાખીને માલીકીની જમીનમાં રસ્તો કરાવેલ છે આટલું જ નહીં મામલતદારે રસ્તા ઉપર જે દબાણ હોય તે દુર કરવાનો હુકમ કરેલ છે. પરંતુ તેઓની માલીકીની જમીનમાં અને રસ્તા પર દબાણ કરેલ છે તેને દૂર કર્યું નથી ! અને પાલીકાના માણસોએ જેસીબીથી ખાડા કરીને પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કરી દીધેલ છે ? જેથી કરીને માલીકીની જમીનમાં ગેરકાયદેશર નાખવામાં આવી રહેલ પાણીની લાઈનનું કામ રોકવાની માંગ કરેલ છે








Latest News