મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું


SHARE













મોરબીમાં પત્નીના આપઘાત બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીની આલાપ સોસાયટીની પાસે આવેલ સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક રોમટિરિયલ્સનું કામ કરતાં યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને ફાયરની ટીમે યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની આલાપ સોસાયટીની બાજુમાં સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે હાલમાં રહેતા મૂળ અણિયારી ગામના રહેવાસી શંકરભાઈ અમરશીભાઈ બાવરવાના દીકરા ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા જાતે પટેલ (31)ને મોરબી તાલુકના ચકમપર(જી) ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને યુવાન કેનાલમાં પડ્યો હોવાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની ટીમે ત્યાં જઈને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી હતી. અને કેનાલના સાયફનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવની તપાસ કરી રહેલ હેડ કોન્સટેબલ વી.એસ.ડાંગર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન સિરામિક રોમટિરિયલ્સનું કામ કાજ કરતો હતી અને ગત તા 3/6/24 ના રોજ તેના પત્ની મમતાબેન ચિરાગભાઈ બાવરવા (31)એ તેઓના જ ઘરે ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને ત્યારથી જ યુવાન ગુમસુમ રહેતો હતો. હાલમાં પત્નીના આપઘાતના આઘાતમાં યુવાને પણ કેનાલમાં પાડીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.




Latest News