મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી સગીરાનું મોત


SHARE













ટંકારાના લજાઈ ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી સગીરાનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડી વિસ્તારમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે સગીરાનુ મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કાનજીભાઈ મેડા જાતે આદિવાસીની 16 વર્ષની દીકરી સંગુબેન ત્યાં વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોતી નીપજયું હતું. ત્યારબાદ તે સગીરાના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા હિતેશભાઈ નાનજીભાઈ કૈલા (49) બાઈક લઈને ઘૂટું ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સરકારી શાળા પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હિતેશભાઈને ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે








Latest News