મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત


SHARE











મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત

મોરબી નજીકના ઘુટું કામે આવેલ રામકો વિલેજ ખાતે રહેતા પરિવારની દીકરીએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘુટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા વાલજીભાઈ ફાંગલીયા જાતે ભરવાડની 18 વર્ષની દીકરી સોનલબેને પોતે પોતાના ઘરે હતી ત્યારે તા. 7/7 ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર પોતાની જાતે ઘરે એસિડ પી લીધું હતું. જેથી તે યુવતીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું તા.8/7 ના રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા દુર્લભજીભાઈ ત્રિભોવનભાઈ (48) નામના વ્યક્તિને આલાપ રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં જીવરાજ પાર્કમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ મૂછડિયા (47)એ ગત તા.7/7 ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ટાઇલ્સના કટકા વડે હાથ ઉપર ચેકા મારીને ઇજા કરી લીધેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.






Latest News