મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વાવડી રોડ-વાંકાનેર દરવાજે ખુલ્લી ગટરમાં ગૌવંશ ખાબકતાં લોકોએ રેસક્યું કર્યું: નીંભર તંત્રની ઘોરબેદરકારી


SHARE











મોરબીમાં વાવડી રોડ-વાંકાનેર દરવાજે ખુલ્લી ગટરમાં ગૌવંશ ખાબકતાં લોકોએ રેસક્યું કર્યું: નીંભર તંત્રની ઘોરબેદરકારી

મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર ભૂગર ગટરના ઢાંકણા ન હોય અથવા તો ઢાંકણ તૂટી ગયા હોય અને ખુલ્લી ગટરો હોવા છતાં પણ તેને ઢાંકવા માટેની કોઈ કાર્યવાહી નગરપાલિકાના નીંભર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેથી અવારનવાર ખુલ્લી ગટરો અથવા તો ઢાંકણા તૂટી ગયેલ ગટરોની અંદર ગૌવંશો અને અબોલ જીવ ખાબકતા હોય છે. અને તેને મહામુસીબતે જીવ દયાપ્રેમીઓ દ્વારા બહાર કાઢવામાં આવતા હોય છે. આવી જ રીતે ગઈકાલના દિવસ દરમિયાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં એક ગૌવંશ પડી ગયું હતું. અને તેને બહાર કાઢવા માટે થઈને આસપાસના સ્થાનિક લોકો સહિતનાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે જ્યાં શાક માર્કેટ ભરાય છે તેનો મોટાભાગનો કચરો ઠાલવવામાં આવે છે અને આ કચરાના લીધે ત્યાં ગૌવંશો એકત્રિત થતા હોય છે. અને અવારનવાર ત્યાં ગટરની અંદર ગૌવંશ ખાબકે તેવું સામે આવતું હોય છે. તેવી જ રીતે ગઈકાલે પણ એક ગૌવંશ ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. જેથી ગૌરક્ષકોને બોલાવીને મહામુસીબતે તેને ગટરમાંથી બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર ખુલ્લી ગટરો જે પડી છે તે આગામી ચોમાસા દરમિયાન કોઈપણ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. તેમ છતાં પણ નગરપાલિકાના નીંભર તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરોને ઢાંકવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળતું નથી. ત્યારે જો આગામી ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ ઘટના આ ખુલ્લી ગટરોના કારણે બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે






Latest News