મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 


SHARE







મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા ગામે શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં બાળ સંસદની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધો.3 થી ૮ નાં કુલ ૧૯૫ જેટલા બાળ મતદારોએ ૧૦ ઉમેદવારો માટે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થઈ હતી.જેમાં બાળ મતદાર એજન્ટ, બાળ પોલિંગ સ્ટાફ , પ્રિસાઇડિંગ ઓફિસર અને બાળ સુરક્ષા સ્ટાફ વગેરે સાથે સમગ્ર ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંતે મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવા બાળ મંત્રી મંડળની રચના પણ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોમાં મતદાન જાગૃતિ, એકતા, નેતૃત્વ, લીડરશીપ વિગેરે જેવા મૂલ્યો વિકસાવવાનું ધ્યેય ઘણે ખરે અંશે સિદ્ધ થતું જોવા મળ્યું હતુ. સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હોય શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા આ તકે તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News