મોરબીમાં રાધે રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રી નંદનવન પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કિટ અપાઈ
મોરબીમાં યુવાનના આપઘાતના ગુનામાં પકડાયેલા પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં યુવાનના આપઘાતના ગુનામાં પકડાયેલા પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના સીરામિક સિટીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતી અને આ યુવાને સ્યૂસાઇટ નોટ લખી હતી જેમાં તે યુવાનને સ્પામાં કામ કરતી મહિલા સાથે પ્રેમસબંધ હતો તે મહિલા વતનમાં જવાનું કહીને મોરબીથી નીકળી હતી અને અમદાવાદમાં રહેતી હોવાની યુવાનને જાણ થઈ હતી જેથી યુવાન ત્યાં મહિલા પાસે ગયો હતો ત્યારે તે મહિલા અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સોએ તેને ગોંધી રાખીને માર માર્યો હતો જેથી યુવાનને આપઘાત કરી લીધો હતો. જે બાનવમ મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પકડાયેલ મહિલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે યુવાન પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેમાં મૃતક યુવાને લખ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. જેને પોલીસે કબ્જે કરી હતી. આ બવાનમાં મોરબી બી ડિવિઝન પોલીસ ખાતે મૃતકના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવેલ હતી. આ ગુનામાં હાલમાં મહિલા આરોપી મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ મૂળ રહે. ઐઝાવલ મિઝોરમ હાલ રહે.લાલપર સીરામીક સીટી મોરબી વાળી ધરપકડ કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુનામાં હજુ લાલજી ભરવાડ અને વિશાલ બોરીચા રહે. બંને કોયલી તાલુકો ટંકારા વાળાને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે.