મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો
હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો
SHARE
હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં અસરગ્રસ્ત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને નદીના પટમાં કોઈને અવાર જવર ના કરવા માટેની તાકીદ કરેલ છે.
મોરબી સિંચાઇ વિભાગના અધિકારી માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100 ભરાઈ ગયેલ છે જેથી કરીને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં તેના માટેની તાકીદ કરવામાં આવેલ છે અને હળવદના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. અને હાલ બ્રાહ્મણી-2 ડેમમાંથી 280 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટેઉ અધિકારી જણાવ્યુ છે.