વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો


SHARE













મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો

મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા છે જો કે, તેઓને વળતર મળેલ નથી અને હાલમાં ૨૫ જેટલા સીલીકોસીસ બીમારીથી પીડાઈ રહ્યા છે તો પણ તેઓને કોઈ મદદ મળી રહી નથી તે બાબત ત્યારે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા માનવ અધીકાર પંચ સમક્ષ ગત ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની બેઠકમાં સીલીકોસીસની ફરીયાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને ઔધ્યોગિક સલામતી અને આરોગ્યને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. અને પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા વધુ એક તક આપી છે. હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નિષ્ફળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત શું કરવાના છે તેની વીગત આપવા માટે સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યું છે.








Latest News