વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો


SHARE













મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો

મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા છે જો કે, તેઓને વળતર મળેલ નથી અને હાલમાં ૨૫ જેટલા સીલીકોસીસ બીમારીથી પીડાઈ રહ્યા છે તો પણ તેઓને કોઈ મદદ મળી રહી નથી તે બાબત ત્યારે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા માનવ અધીકાર પંચ સમક્ષ ગત ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની બેઠકમાં સીલીકોસીસની ફરીયાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને ઔધ્યોગિક સલામતી અને આરોગ્યને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. અને પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા વધુ એક તક આપી છે. હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નિષ્ફળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત શું કરવાના છે તેની વીગત આપવા માટે સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યું છે.






Latest News