માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત


SHARE











મોરબીની પીપળીયા ચોકડી પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર રાતે સાડા બાર વાગ્યાના અરસામાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાતાં અકસ્માત થયો હતો અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે આવેલ રત્નકલા એક્સપોર્ટ નામના કારખાના પાસેથી જીગ્નેશભાઈ વિનુભાઈ ચાવડા (26) રહે. જય ગોપાલ નળીયાના કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળો બાઈક લઈને જતો હતો ત્યારે રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં રોડ ઉપર ખૂંટીયા સાથે તેનું બાઇક અથડાયું હતું. જે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. હાલ તાલુકા પોલીસ મથકના એએસઆઈ જીલુભાઇ ગોગરા તપાસ કરી રહ્યા છે અને તેની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન પીપળીયા ચોકડી બાજુ મેલડી મંડળ જોવા માટે ગયેલ હતો અને પરત આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બનેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો કાનજી દેવજીભાઈ સારેસા (35) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણાએ કરી હતી

મહિલા સારવારમાં
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના વણખાણા ગામે રહેતા પૂજાબેન દેવેન્દ્રભાઈ સિંગ (28) નામની મહિલા મોરબી તાલુકાના ગાળા ગામ પાસે હતી ત્યારે ત્યાં ટ્રકમાં આવી જતા તેને અકસ્માતે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ દ્વારા કરવામાં આવી હતી
 






Latest News