મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકાનાં જાંબુડીયા ગામથી પાનેલી ગામ તરફ જવાનો જે રસ્તો હતો તેને પાનેલી સર્વે નંબર 140 પૈકીમાંથી બનતી જીઆઈડીસી દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને ગ્રામજનોએ આ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકાની જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, જીઆઈડીસી દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે જેથી કરીને આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી છે છેલ્લા ઘણા વર્ષોથી જાંબુડીયાના સર્વે નંબર 146 નું પાણી પાનેલી તળાવમાં જતું હતું તે પાણીના વોકળા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પાણી જાંબુડીયાના ખેતરોમાં ભરાઈ છે. અને જો વોકળા ખુલ્લા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પણ નુકશાન થશે.

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી મામલતદાર મોરબીને જાહેર હિતમાં રસ્તા-વોકળા ખુલ્લા કરવા રજૂઆત કરવામાં આવી રહી છે જો કે, આજ સુધીમાં જીઆઇડીસી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ફરજમાં અક્ષમ્ય બેદરકારી રાખીને જીઆઇડીસીને મદદ કરી હોય તેની કામ કર્યું છે જેથી કરીને વધુ વરસાદ પડે અને જાંબુડીયા, લઘધીરપુર તથા પાનેલી ગામમાં પાણી ઘુસી જાય અને મોટું નુકસાન થાય તે પહેલા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News