મોરબીમાં ગુમ થયેલા જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા કરી લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈને ઉપર ધાબું ભરી નાખ્યું !: પોલીસ તપાસનો ધમધમાટ મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન એક જ દિવસમાં 3513 વીજ જોડાણ કટ: 4.19 કરોડની વસૂલાત કરાઇ મોરબી પી.જી.વી.સી.એલ.એ વળતરના કેસમાં કરેલ અપીલને 10 હજારના ખર્ચ સાથે રદ્દ કરવાનો ડીસ્ટ્રીક્ટ કોર્ટે કર્યો હુકમ વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત હળવદ તાલુકાનાં ચરાડવા-સમલી વચ્ચે બાઇક સ્લીપ થતાં નાડધ્રી ગામના યુવાનનું મોત મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત આર્મીમેનની અંતિમક્રિયા કરાઇ મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !
Breaking news
Morbi Today

મોરબી: દીકરી CA ફાઈનલની પરીક્ષામાં પાસ થતાં સદાવ્રતમા મહાપ્રસાદ યોજાયો


SHARE













મોરબી: દીકરી CA ફાઈનલની પરીક્ષામાં પાસ થતાં સદાવ્રતમા મહાપ્રસાદ યોજાયો

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે અંકીતા ઠક્કર સીએ ફાઈનલની પરિક્ષામાં ઉતિર્ણ થતાં તેમની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. વર્તમાન  સમયમાં લોકો પોતાના સંતાનોની શૈક્ષણિક સિધ્ધીઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમની દીકરી અંકિતાની શૈક્ષણિક સિધ્ધીની ઉજવણી સેવાકાર્યમા સહયોગ આપીને કરી હતી. અને સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા સહિતનાઓએ અભિનંદન આપ્યા હતા






Latest News