મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે ગંદકી અને ઉબડખાબડ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા પાલિકાને સાત દિવસનું અલ્ટીમેટમ


SHARE













મોરબીના આલાપ રોડે ગંદકી અને ઉબડખાબડ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા પાલિકાને સાત દિવસનું અલ્ટીમેટમ
 
મોરબી શહેરના આલાપ રોડ ઉપર ગટરના ગંદા પાણી વહે છે અને રસ્તો પણ ઉબડખાબડ છે તે બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં આવેદન પાઠવવામાં આવ્યુ હતુ અને પ્રશ્ન ઉકેલવા માટે સાત દિવસનુ અલ્ટીમેટમ આપેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ ભાવિકભાઇ મુછડીયા, ચિરાગભાઇ રાચ્છ સહિતના કોંગ્રેસના આગેવાનોએ આલાપ રોડના સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી પાલિકામાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમા જણાવ્યું હતુ કે, આલાપ રોડ પર શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંથી ૨૪ તલાક ગંદુ પાણી બહાર આવે છે અને રોડ ઉપર ગંદકી વહી રહી છે. આ પ્રશ્ન અંદાજે છ મહિનાથી છે. અને સોસાયટીના લોકોએ રજૂઆત કરેલ હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગંદકીના લીધે લોકોના સ્વસ્થ્યને અસર થાય તેવી શક્યતા છે. જેથી તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને સાત દિવસમાં પ્રશ્ન નહિ ઉકેલાય તો સોસાયટીના લોકોને સાથે રાખી કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે






Latest News