મોરબીના શનાળા ગામ પાસે કારખાનામાં ડોક ઉપર મશીન પડતા આધેડ ભાગીદારનું માથું ધડથી અલગ થઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ મોરબી જિલ્લા પંચાયતનું 2.61 કરોડની પુરાંત વાળું 776.97 કરોડનું બજેટ મંજૂર મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પ મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામના ખેડૂતે રાસાયણિક ખેતીથી નિર્જીવ બનેલ જમીનમાં પ્રાકૃતિક ખેતીથી પુનઃ પ્રાણ પૂર્યા


SHARE













ટંકારાના હરબટીયાળી ગામના ખેડૂતે રાસાયણિક ખેતીથી નિર્જીવ બનેલ જમીનમાં પ્રાકૃતિક ખેતીથી પુનઃ પ્રાણ પૂર્યા

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના ખેડૂત કાંતિભાઈ સંઘાણીએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષો પહેલા અમે મગફળી, જુવાર, કપાસ,એરંડા વગેરે પાકોનું  ઉત્પાદન કરતા હતા.પણ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો ગયો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ તેથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો આવા સમયમાં અમે ઉત્પાદન ખર્ચ ઘટાડવાનું અને જમીનને ફળદ્રુપ બનાવવાનું વિચાર્યું અને છેવટે અમે ગાય લીધી અને સજીવ ખેતી કરવાનું વિચાર્યું.

આ ખેડૂત પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા. અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાતા જિલ્લા બહાર પ્રવાસ, કૃષિ મેળા, જિલ્લા અંદર તાલીમ પ્રવાસ વગેરેમાં ભાગ લીધો અને ત્યાં પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત અને માહિતી લીધી અને જુદી જુદી જગ્યાએ ગાય આધારીત ખેતીની તાલીમમાં ભાગ લીધો હતો. અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું. ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગેની સાત દિવસની વડતાલ ખાતે તાલીમ લઈને માહિતી મેળવી હતી. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું ત્યાર બાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. પ્રાકૃતિક મગફળી, કપાસ, જીરું પાકનું વાવેતર શરૂઆત કરી અને પરીણામે રાસાયણિક પાક કરતા પ્રાકૃતિક પાકમાં ખર્ચ ઘટવા લાગ્યો. હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ખાટી છાસ, આકડો, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરવાથી જમીન પોચી, ભરભરી અને ફળદ્રુપ બનતી ગઈ અને ઉત્પાદન વધવા લાગ્યું અને જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઇ. અમારે પ્રાકૃતિક ખેતી હેઠળ ગત સીઝનમાં પાંચ વીઘા જમીનમાં મગફળીનું ૧૩૦ મણ તેમજ જીરુંનું ૪૨ મણ ઉત્પાદન થયું છે. આમ, પ્રાકૃતિક કૃષિ કરવાથી ખર્ચ ઘટવા લાગ્યો અને આવકમાં વધારો થવા લાગ્યો. અને જમીનની ફળદ્રુપતા વધારો થયો  છે. અને જમીન પહેલા હતી એવી સજીવ થવા લાગી છે.








Latest News