મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં


SHARE









વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં

વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી બે બાળકીઓ પોતાના ઘર તરફ જવા માટે થઈને રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બાઈક ચાલકે તે બંને બાળકીને હડફેટે લીધી હતી જેથી કરીને બંને બાળકીઓને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબમાં ઝૂંપડામાં રહેતા ભુરીબેન બકાભાઇ સિંધવ જાતે સરાણીયા (45)એ હાલમાં બાઈક નંબર જીજે 3 ઇજી 419 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી વનીતાબેન બકાભાઇ સિંધવ (12) અને તેમના બહેનની દીકરી નયના બાબુભાઈ ચૌહાણ (8) બંને નર્સરી ચોકડી પાસેથી પોતાના ઘર તરફ આવવા માટે થઈને રોડ ઓળંગી રહી હતી દરમિયાન બાઇક ચાલકે વાંકાનેર બાજુથી આવીને આ બંને બાળકીને લીધી હતી અને ત્યારે વનિતાને જમણા પગ અને જમણા હાથમાં ફેકચર જેવી ઈજા થયેલ છે તેમજ નયનાને જમણા સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી ઈજા પામેલ બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

આધેડનું મોત

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રીતમસિંહ કોલારામ જાટ (51) વાળા મોરબીના બંધુનગર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રકના પાર્કિંગમાં હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં તેને સારવાર માટે વાંકાનેર લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News