મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને આજીવન કેદ: 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 16,000 ની રોકડ સાથે ઝડપાયા મોરબી જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો-ગ્રાહકોના પ્રશ્નો-મુશ્કેલીઓ દુર કરવા મંત્રીને રજૂઆત મોરબીના રફાળેશ્વર ગામે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં


SHARE













વાંકાનેરની નર્સરી ચોકડીએથી ઘરે જતી બે બાળકીને બાઇક ચાલકે હડફેટે લેતા બંને સારવારમાં

વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી બે બાળકીઓ પોતાના ઘર તરફ જવા માટે થઈને રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બાઈક ચાલકે તે બંને બાળકીને હડફેટે લીધી હતી જેથી કરીને બંને બાળકીઓને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબમાં ઝૂંપડામાં રહેતા ભુરીબેન બકાભાઇ સિંધવ જાતે સરાણીયા (45)એ હાલમાં બાઈક નંબર જીજે 3 ઇજી 419 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી વનીતાબેન બકાભાઇ સિંધવ (12) અને તેમના બહેનની દીકરી નયના બાબુભાઈ ચૌહાણ (8) બંને નર્સરી ચોકડી પાસેથી પોતાના ઘર તરફ આવવા માટે થઈને રોડ ઓળંગી રહી હતી દરમિયાન બાઇક ચાલકે વાંકાનેર બાજુથી આવીને આ બંને બાળકીને લીધી હતી અને ત્યારે વનિતાને જમણા પગ અને જમણા હાથમાં ફેકચર જેવી ઈજા થયેલ છે તેમજ નયનાને જમણા સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી ઈજા પામેલ બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

આધેડનું મોત

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રીતમસિંહ કોલારામ જાટ (51) વાળા મોરબીના બંધુનગર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રકના પાર્કિંગમાં હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં તેને સારવાર માટે વાંકાનેર લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News