મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ચેકની બમણી રકમનો દંડ
મોરબીના સ્કાય મોલ ખાતે હરે રામા.. હરે કૃષ્ણનો કીર્તનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના સ્કાય મોલ ખાતે હરે રામા.. હરે કૃષ્ણનો કીર્તનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને ઇસ્કોન ગ્રુપ દ્વારા ભક્તિમય કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેના રસીયા, યુક્રેઇન સહિતના દેશોમાંથી આવેલા વિદેશી ભક્તોની સાથે મોરબીવાસીઓએ હરે રામા... હરે કૃષ્ણના નાદ સાથે પણ ભક્તિમય સંગીતમાં લિન બની ગયા હતા. વધુમાં ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઇષ્ટદેવની ભક્તિ કરવામાં અલૌલિક આનંદની અનુભૂતિ થાય છે. આ રીતે આધ્યાત્મિકતા પ્રાપ્ત થવી જે ભક્તિનો સાચો પ્રકાર છે. પણ આપણે આધુનિકતા અને બાહ્ય આંડબર તેમજ એક બીજાથી ચડિયાતા દેખાવા તથા પૈસો અને કીર્તિ પાછળ એટલા ઘેલા થઈ ગયા છીએ કે આ મૂળ ભક્તિભાવ ભૂલી ગયા છીએ.