મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


SHARE














હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર મજૂરી કામ કરવા માટે તેને આવેલા છોટા ઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી પરિવારની દીકરીનું ગોપાલભાઈ રૂડાભાઈ ઠાકોર શખ્સે લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બાંધકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસે રહેતા ઋષિરાજ રાજેન્દ્રભાઈ આચાર્ય (37) નામનો યુવાન મોરબીમાં લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ગૌરીબેન ભુપતભાઈ રાઠોડ (60) તથા કિંજલબેન દિનેશભાઈ રાઠોડ (16) નો સમાવેશ થયે છે અને તે બંનેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.








Latest News