મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


SHARE












હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ


હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર મજૂરી કામ કરવા માટે તેને આવેલા છોટા ઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી પરિવારની દીકરીનું ગોપાલભાઈ રૂડાભાઈ ઠાકોર શખ્સે લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બાંધકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસે રહેતા ઋષિરાજ રાજેન્દ્રભાઈ આચાર્ય (37) નામનો યુવાન મોરબીમાં લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક મારામારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જેમાં ગૌરીબેન ભુપતભાઈ રાઠોડ (60) તથા કિંજલબેન દિનેશભાઈ રાઠોડ (16) નો સમાવેશ થયે છે અને તે બંનેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News