મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના તમામ તાલુકામાં આત્મા કચેરી દ્વારા ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ


SHARE











મોરબીના તમામ તાલુકામાં આત્મા કચેરી દ્વારા ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ

ફૂડ સિક્યુરિટી ગૃપ અંતર્ગત આયોજીત તાલીમમાં મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરાયુ
 

મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ૫ તાલુકામાં પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ તાલીમનું આયોજન કરીને ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી.


રાસાયણિક ખેતીને બદલે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યમાં અભિયાન રૂપે લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા માટે ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આત્મા પ્રોજેકટ, મોરબી અંતર્ગત મોરબી જિલ્લાના તમામ ૫ તાલુકામાં ફૂડ સિક્યોરિટી ગૃપ અંતર્ગત કુલ ૨૨ મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવામાં આવ્યું હતું.પ્રાકૃતિક કૃષિ એટલે ગાય આધારિત ખેતી ગાય આધારિત ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત, ધન જીવામૃત વગેરેનું ખુબજ મહત્વ રહે છે તે વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ તાલુકામાં મહિલાઓને શાકભાજી કીટ વિતરણની સાથે જરૂરી પ્રાકૃતિક કૃષિની સમજણ પણ આત્મા પ્રોજેકટના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.






Latest News