મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું


SHARE













મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન સુશ્રી નેહાતાઈ જોષી (રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ) અને સીમાબેન મહેતા (પ્રાંત કાર્યકર્તા)એ કર્યું હતું. જેમાં ભારતમાતા પૂજન અને ગ્રાહક ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ ગ્રાહક ઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી, વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો સંપૂર્ણ વર્ષ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. અને નિયામક સુનિલભાઈ પરમાર, માધ્યમિક પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા








Latest News