મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું


SHARE











મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન સુશ્રી નેહાતાઈ જોષી (રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ) અને સીમાબેન મહેતા (પ્રાંત કાર્યકર્તા)એ કર્યું હતું. જેમાં ભારતમાતા પૂજન અને ગ્રાહક ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ ગ્રાહક ઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી, વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો સંપૂર્ણ વર્ષ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. અને નિયામક સુનિલભાઈ પરમાર, માધ્યમિક પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા






Latest News