મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ
મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ
SHARE
મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ
મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રોડમાં જીવલેણ અકસ્માત સર્જે તેવા ખાડા છે તો પણ તે રોડનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોમાસામાં લોકોને ભારા હલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સામાજિક કાર્યકર્તાઓ રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઈએ સ્થાનિક વેપારીઓને સાથે રાખીને રસ્તો ચક્કાજામ કર્યો હતો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું વેપારીઓ કહેતા હતા જેથી કરીને હાજર રહેલા લોકોએ નગરપાલિકા હાય હાય, ચીફ ઓફીસર હાય હાય, ધારાસભ્ય હાય હાય, વહીવટદાર હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા તો બીજી બાજુ ચંદિપુરા વાઇરસનો ખતરો છે ત્યારે મોરબીમાં શનાળા ઓવરબ્રીજ નીચે વરસાદી પાણી ભરાઈ છે ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકે તેના માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.