મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ


SHARE













મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના કાંઠે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તેની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવે છે તેને તોડી પાડવાની કામગીરી તંત્રની સૂચના મુજબ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાંથી હરિભક્તો અને હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓ દ્વારા દિવાલ તોડી પાડવાનું કામ અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ટેકે વિશ્વ હિન્દુ પરિષદ, હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ, મોરબી શાક માર્કેટ એસોસિએશન, હિન્દુ યુવા વાહિની, એકતા એ જ લક્ષ્ય સંગઠન, મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન, મોરબી કાપડ મહાજન તથા રેડીમેડ ગારમેન્ટ એસોસિયેશન સહિતના સંગઠન અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. અને આ દીવાલ સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે પ્રોટેક્શન માટે બનાવવામાં આવી છે અને દીવાલથી નદીનું વહેણ કોઈપણ પ્રકારે અવરોધાતું નથી. જેથી આ દીવાલ ન તોડવામાં આવે તેવી માંગ કરેલ છે.








Latest News