મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ
SHARE
મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ
મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના કાંઠે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તેની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવે છે તેને તોડી પાડવાની કામગીરી તંત્રની સૂચના મુજબ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાંથી હરિભક્તો અને હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓ દ્વારા દિવાલ તોડી પાડવાનું કામ અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ટેકે વિશ્વ હિન્દુ પરિષદ, હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ, મોરબી શાક માર્કેટ એસોસિએશન, હિન્દુ યુવા વાહિની, એકતા એ જ લક્ષ્ય સંગઠન, મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન, મોરબી કાપડ મહાજન તથા રેડીમેડ ગારમેન્ટ એસોસિયેશન સહિતના સંગઠન અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. અને આ દીવાલ સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે પ્રોટેક્શન માટે બનાવવામાં આવી છે અને દીવાલથી નદીનું વહેણ કોઈપણ પ્રકારે અવરોધાતું નથી. જેથી આ દીવાલ ન તોડવામાં આવે તેવી માંગ કરેલ છે.