મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદાજુદા આઠ રોડના કામ ચોમાસા બાદ શરૂ કરાશે: ચીફ ઓફિસર
મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ધાર્મિક સ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે
SHARE









મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ધાર્મિક સ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ધાર્મિક સ્થાનોમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવા માટેના આયોજનો કરવામાં આવેલ છે જેમાં ગુરુપૂજન, મહા આરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામા આવેલ છે
જોગ ધ્યાનપુરા આશ્રમ
થાનગઢ સ્થિત જોગ ધ્યાનપુરા આશ્રમ ખાતે આગામી તા. 20 અને 21 બે દિવસ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે તા 20 ના રોજ જોગ આશ્રમે ભવ્ય સંતવાણી યોજાશે જેમાં કલાકાર નિલેશ ગઢવી, અપેક્ષા પંડ્યા અને પીયુશ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. અને તા 21 ના રોજ 7:30 કલાકે બાપુની રથયાત્રા, ગુરુપૂજન વિધિ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.
સ્વામિનારાયણ મંદિર
મોરબીમાં દુર્લભ પાર્ટી પ્લોટ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર વાણસા સંસ્થા SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે તા 23 ને મંગળવારના રોજ સાંજે 5:30 થી 9:00 કલાક દરમ્યાન ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના આંગણે હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજીનું ભવ્ય સામૈયું અવની ચોકડીથી નીકળશે. દરમ્યાન ગુરુજીના નિકટ દર્શન અને પૂજનનો લાભ મળશે. અને ત્યાર બાદ ગુરુજીના આશીર્વાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગીરનારી આશ્રમ
મોરબીના લીલપર રોડે આવેલ ગીરનારી આશ્રમ ગંગેશ્વર મહાદેવ ખાતે શ્રી સદગુરુ દેવ પ્રયાગગીરી મહારાજ ગુરુદેવ મદાનગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તા. 20 ને શનિવારના રોજ રાત્રે 9;00 કલાકે ભજન મંડળ દ્વારા સીતારામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા 21 ના રોજ ધ્વજારોહણ, ગુરુપૂજન, ગોપી મંડળ દ્વારા મારુતિ સુંદરકાંડ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જેતપર રામજી મંદિર
મોરબીના જેતપર ગામે આવેલા રામજી મંદિરે તા 21 ને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રામજી મંદિર ખાતે સવારે 8:30 કલાકે ગુરુ ચરણ પાદુકા પૂજન વિધિ તથા આરતી કરશે. તો આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને પૂજારી તથા સમસ્ત સેવકગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
બગથળા નકલંક મંદિર
મોરબીના બગથળા ગામે આવેલ નકલંક મંદિરે નેજાધારી નકલંક ભગવાનનાં સાનિધ્યમાં તા 21 ને રવિવારે ગુરુપૂર્ણિમાનૈયું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહંત દામજી ભગત સવારે 8:00 કલાકે મહા આરતી કરશે. ત્યાર બાદ ગુરૂ વંદના અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉમિયા આશ્રમ
મોરબીમાં શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલા ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌ શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે અને ત્યારે ગુરુપૂજન અમે ભાવિકો માટે બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં લોકોને આવવા માટે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આમંત્રણ આપેલ છે.
ખાખરેચી ગામ
મોરબીના ખાખરેચી ગામે ત્રિકમ સાહેબની જગ્યાએ આગામી તા. 21 જુલાઈને ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં સંતવાણી કલાકાર હેમંતભાઈ સોલંકી, નીતિનભાઈ શુક્લ, વર્ષાબેન બગથરિયા તથા સાજિંદા મિત્રો ભજનની રમઝટ બોલાવશે.

