મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપરથી ગુમ થયેલી યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE











મોરબીના છાત્રાલય રોડ ઉપરથી ગુમ થયેલી યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વૈભવભાઈ પ્રફુલભાઈ દેત્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ભૂમિકાબેન પ્રફુલભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૧) ગત તા.૨૬-૨ ના સવારે ૭:૩૦ થી બપોરે ૨ સુધીમાં કોઇપણ સમયે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે.તેવી ફરિયાદ અગાઉ નોંધાવેલ હતી. જે યુવતી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન આવેલ હતી અને તેને તેને પ્રેમલગ્ન કરી લીધા હોવાનું પોલીસને જણાવ્યુ હતુ. જેથી ગુમ થયેલ યુવતી મળી આવી છે. તેવું તપાસનીસ એ.એમ.જાપડીયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા ભૂમિકાબેનના ભાઈ વૈભવ પ્રફુલ દેત્રોજા પટેલ રહે. ચિત્રકૂટ સોસાયટી છાત્રાલય રોડ વાળાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા તેમના બેન ભૂમિકાબેન ગુમ થયા હોવા અંગે જાણ કરી હતી.જે અંગે તપાસ ચાલુ હતી દરમિયાનમાં ભૂમિકાબેન પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયા હતા અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી નરસંગ ટેકરી વિસ્તારમાં રવાપર રોડ ખાતે રહેતા વિમલ હરજીવનભાઈ શેરસિયા જાતે પટેલના પરિચયમા હતા અને છેલ્લા બે વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ હોય લગ્ન માટે ઘરે વાત કરી હતી.પરંતુ ના પાડવામાં આવતા ગત તા.19-2 ના રોજ અમરેલીના હામાપુર મુકામે પ્રેમ લગ્ન કરી લીધા હતા.બાદમાં પરત આવી ગયા હતા અને પછી તા.26-2 ના રોજ તેઓ ઘરેથી કોલેજનું કહીને નીકળ્યા હતા અને છાત્રાલય રોડ ઉપર વિમલ કાર લઈને આવ્યો હતો અને તેની સાથે કારમાં બેસીને અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં તેઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં હૈદરાબાદ રોકાયેલા હતા.બાદમાં તેના ભાઈ વિમલએ તેઓની ગુમસુધા ફરિયાદ દાખલ કરી હોવાની જાણ થતા તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પોતાની કેફીયત આપી હતી અને તેઓ હાલ તેમના પતિ વિમલ હરજીવનભાઈ શેરસીયાની સાથે રહેવા માંગતા હોય તે અંગે નોંધ કરી પોલીસે આગળની તપાસ કરી હતી.






Latest News