મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પંથકના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નાની વાવડી મોરબી ખાતે રહેતા મગનભાઈ ધનાભાઈ મકવાણા તથા તેમના માતા-પિતા તથા બહેન વિરુદ્ધ નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રરણના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ કરી હતી અને મોરબી કોર્ટમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાનું ચાર્જશીટ રજૂ કરેલ હતું. જે કેસની ટ્રાયલ મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે અમદાવાદના વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રદીપ એ. રાજપુત તથા દલપત એચ.પરમાર રોકાયેલ હતા.






Latest News