મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પંથકના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નાની વાવડી મોરબી ખાતે રહેતા મગનભાઈ ધનાભાઈ મકવાણા તથા તેમના માતા-પિતા તથા બહેન વિરુદ્ધ નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રરણના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ કરી હતી અને મોરબી કોર્ટમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાનું ચાર્જશીટ રજૂ કરેલ હતું. જે કેસની ટ્રાયલ મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે અમદાવાદના વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રદીપ એ. રાજપુત તથા દલપત એચ.પરમાર રોકાયેલ હતા.






Latest News