મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પંથકના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નાની વાવડી મોરબી ખાતે રહેતા મગનભાઈ ધનાભાઈ મકવાણા તથા તેમના માતા-પિતા તથા બહેન વિરુદ્ધ નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રરણના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ કરી હતી અને મોરબી કોર્ટમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાનું ચાર્જશીટ રજૂ કરેલ હતું. જે કેસની ટ્રાયલ મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે અમદાવાદના વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રદીપ એ. રાજપુત તથા દલપત એચ.પરમાર રોકાયેલ હતા.








Latest News