મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન
SHARE
મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવશે અને મોરબીના લોકોને પડતી હલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરશે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહયા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે. ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે. જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો-માખીના લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે. તો પણ આ પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામ ધુનનું આયોજન કરેલ છે.









