મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન


SHARE











મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવશે અને મોરબીના લોકોને પડતી હલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરશે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહયા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે. ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે. જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો-માખીના લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે. તો પણ આ પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામ ધુનનું આયોજન કરેલ છે.






Latest News