મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન


SHARE













મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવશે અને મોરબીના લોકોને પડતી હલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરશે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહયા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે. ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે. જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો-માખીના લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે. તો પણ આ પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામ ધુનનું આયોજન કરેલ છે.






Latest News