મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?


SHARE













મોરબી પાલિકાના પટાંગણમાં રામધૂન બોલવાતા કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોને ડિટેઇન કરતી પોલીસ !: રજૂઆત કરી પણ ગુનો ?

મોરબીના જુદાજુદા વિસ્તારમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, પાલિકા દ્વારા રાજુયાતોને ધ્યાને લઈને કોઈ કામ કરવામાં આવતું નથી માટે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારે અધિકારી, ભાજપ, ધારાસભ્ય અને સરકારને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મોરબી શહેરના દરકે વોર્ડમાં લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેથી ગંદકીગટરરસ્તાઓરખડતા-રઝળતા પશુઓદૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નોથી લોકો ઘરાયેલા છે અને તેના માટે લોકોને છેલ્લા મહિનાઓમાં રજૂઆતો કરેલ હોવા છતાં પણ કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી જેથી કરીને લોકોની હેરાનગતિ દૂર થયા અને સિવિધાઓમાં વધારો થાય તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં આજે પાલિકામાં રામધૂન બોલાવવામાં આવી હતી

ત્યારે ગટરના ગંદા પાણી, રોડ-રસ્તા, ગટરના ઢાંકણા, તૂટી ગયેલ ગટર, મચ્છરો અને માખીનો ઉપદ્રવ સહિતના અનેક પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને મચ્છર-માખીના લીધે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોંગ્રેસ માંગ કરેલ છે જો કે, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પાલિકાના પટાંગણમાં રામધૂન બોલાવીને અધિકારી, સરકાર, ભાજપ અને ધારાસભ્યને સદબુદ્ધિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા કોંગ્રેસનાં 15 જેટલા આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા








Latest News