મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી


SHARE













રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી

મોરબીમાં ત્રાજપર પાસે શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ નામે પેટ્રોલ પંપ ધરાવતા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયાના દીકરા કૃષિતભાઈ અને પુત્રવધૂ ઉર્વશીબેનને ત્યાં પુત્રરત્ન નંદન નો જન્મ થયેલ હોય તેના જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભોજન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મંગળજીભાઈએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના શુભચિંતક હોય તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમણે માનતા રાખી હતી અને તેઓના ઘરે પારિવારિક પ્રસંગમાં આવેલા મંત્રી રાઘવજીભાઈ પટેલની સાથે માટેલ મંદિર ખાતે દર્શન કરવા માટે જઈને મંગળજીભાઈ સુવાગીયા સહિતના ગયા હતા અને ત્યાં તેમણે પોતાની માનતા પૂરી કરી હતી. તેવી માહિતી તેઓના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે








Latest News