મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન


SHARE









મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન

રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ હડતાલ ઉપર છે જેમાં મોરબી જિલ્લાના પણ કર્મચારીઓ જોડાયેલ છે જેથી હાલમાં ઓફિસમાં કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામો ઠપ્પ થઈ ગયેલ છે. અને જો આગામી તા.31 સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો હવે અચોક્કસ મુદતની હડતાળ કરવાનું કર્મચારીઓએ એલાન કર્યું છે.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી જેથી કરીને આજે સોમવાર તા 22થી રાજ્ય ભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે કચેરીમાં પેનડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે જે હડતાલ આગામી તા. 31 સુધી ચાલુ રહેવાની છે અને તેમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયેલ છે અને મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં હાલમાં શરૂ કરવામાં આવી છે જેથી કરીને ઓફિસોમાં કામ બંધ થઈ જતાં હાલમાં મોરબી જીલ્લામાં વકીલો અને અરજદારો સહિતના હેરાન થઈ રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્થાનિક કર્મચારીઓ જણાવ્યુ હતું કે, ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આટલું જ નહીં તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા માટે મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.






Latest News