મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે 31 મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડાનું વિતરણ
SHARE
મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડાનું વિતરણ
મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મજયંતી ઉજવણી અનુસંધાને મોરબી શહેરમાં આવેલ 9 શાળાઓમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના ફોટો તેમજ જીવન ચરિત્ર દર્શાવતા 3000 થી વધારે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી સ્કૂલ, શાંતિવન સ્કૂલ, સો ઓરડી પાસે આવેલ પોટરી પ્રાથમિક શાળ, જવાહર પ્રાથમિક શાળા, લાયન્સ પ્રાથમિક શાળા, એમ.પી સેઠ ગર્લ્સ હાઇસ્કુલ, સાર્વજનિક પ્રાથમિક શાળા, લાયન્સ નગર પ્રાથમિક શાળા સહિતની સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને આ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.