મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ


SHARE







મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ

દેશભરમાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે જો કે, તેની જાણકારી સામન્ય લોકો પાસે નથી જેથી કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોને નવા કાયદાની જાણકારી આપવા માટે કોલેજથી લઈને ગ્રામસભા સુધી સેમીનાર કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

ભારત સરકારે નવા કાયદા બનાવેલ છે. તેનો અમલપણ શરૂ થઇ ગયો છે ત્યારે કાયદામાં સુધારા આવકાર દાયક છે. પરંતુ આ કાયદા વિષે હજુ જાણવા પ્રમાણે વકિલોને પણ સમજાતુ નથી. તેવી ચર્ચા થઇ રહી છે. તો પ્રજાને કાયદાની સમજ ન હોય તે સમજી શકાય તેમ છે જેથી કરીને જે કાયદો પ્રજા માટે અમલમાં આવેલ છે. તે કાયદાના ફાયદા અને કાયદા વીરૂધ્ધ જાય તો શું નુકશાન છે ? કેટલી સજા છે ? તે જાણકારી પ્રજાને આપવામાં આવે તે જરૂરી છે.

જેથી કરીને પોલીસ ખાતા દ્વારા સેમીનાર, સભા, ગ્રામ્ય સભા યોજીને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રજાને નવા કાયદાની જાણકારી મળશે. વધુમાં જણાવ્યુ છે કે, આજની તારીખે સમાજમાં ઘણી એવા લોકો છે જેમનું ભણતર ઓછુ છે જેથી તેનુ ભોળપણ અને અજ્ઞાનતા તેને નુકશાન કરી શકે. માટે પોલીસ દ્રારા કોલેજથી લઈને ગ્રામ્ય સભા સુધી સેમીનાર દ્રારા નવા કાયદાની જાણકારી આપવામાં આવે તો તેનું વધારે સારૂ પરિણામ મળશે તેમજ નવો કાયદો વધુ અસરકારક બનશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News