મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ


SHARE









મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ

દેશભરમાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે જો કે, તેની જાણકારી સામન્ય લોકો પાસે નથી જેથી કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોને નવા કાયદાની જાણકારી આપવા માટે કોલેજથી લઈને ગ્રામસભા સુધી સેમીનાર કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

ભારત સરકારે નવા કાયદા બનાવેલ છે. તેનો અમલપણ શરૂ થઇ ગયો છે ત્યારે કાયદામાં સુધારા આવકાર દાયક છે. પરંતુ આ કાયદા વિષે હજુ જાણવા પ્રમાણે વકિલોને પણ સમજાતુ નથી. તેવી ચર્ચા થઇ રહી છે. તો પ્રજાને કાયદાની સમજ ન હોય તે સમજી શકાય તેમ છે જેથી કરીને જે કાયદો પ્રજા માટે અમલમાં આવેલ છે. તે કાયદાના ફાયદા અને કાયદા વીરૂધ્ધ જાય તો શું નુકશાન છે ? કેટલી સજા છે ? તે જાણકારી પ્રજાને આપવામાં આવે તે જરૂરી છે.

જેથી કરીને પોલીસ ખાતા દ્વારા સેમીનાર, સભા, ગ્રામ્ય સભા યોજીને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રજાને નવા કાયદાની જાણકારી મળશે. વધુમાં જણાવ્યુ છે કે, આજની તારીખે સમાજમાં ઘણી એવા લોકો છે જેમનું ભણતર ઓછુ છે જેથી તેનુ ભોળપણ અને અજ્ઞાનતા તેને નુકશાન કરી શકે. માટે પોલીસ દ્રારા કોલેજથી લઈને ગ્રામ્ય સભા સુધી સેમીનાર દ્રારા નવા કાયદાની જાણકારી આપવામાં આવે તો તેનું વધારે સારૂ પરિણામ મળશે તેમજ નવો કાયદો વધુ અસરકારક બનશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News