મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું


SHARE







વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે આઇસર લેવા એક વર્ષ પહેલાં બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે અત્યાર સુધીમાં અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી 45,000 ની પેનલ્ટી તથા બે લાખ રૂપિયા મુદલ આમ કુલ મળીને અઢી લાખ રૂપિયા જેટલી રકમની વારંવાર માંગણી કરવામાં આવે છે અને પૈસાની ઉઘરાણી કરવા માટે વ્યાજખોર તેના ઘરે આવતો હતો જેથી કંટાળીને યુવાનની પત્નીએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી અને છેલ્લા ઘણા સમયથી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ફિરોજભાઈ સૈયદના પત્ની આશિયાનાબેન (30)એ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આશિયાનાબેનના પતિ ફિરોજભાઈએ ધંધા માટે આઇસરની ખરીદી કરવા વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા મુકમુદ્દીન ઉર્ફે મૂકો નામના શખ્સની પાસેથી એક વર્ષ પહેલાં 10 ટકાના વ્યાજ લેખે બે લાખ રૂપિયા લીધા હતા જેની સામે સમયાંતરે કુલ મળીને અત્યાર સુધીમાં સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા પરત ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેના ઉપર પેનલ્ટી લગાવીને 45,000 જેટલી પેનલ્ટી તથા બે લાખની મુદ્દલ આમ કુલ મળીને અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરવામાં આવી રહી છે. અને વ્યાજખોર અવારનવાર આશિયાનાબેનના પતિ ફિરોજભાઈને ફોન કરતો હતો જેથી ફિરોજભાઈ ફોન ન ઉપાડે તો પૈસાની ઉઘરાણી કરવા માટે થઈને તે તેઓના ઘરે આવતા હતો જેથી કરીને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પી લીધું હતું. આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News