ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત

મોરબી નગર પાલિકા સફાઈ અને પાણી બાબતે લોકોને સારી સુવિધા આપવામાં આ વર્ષે નિષ્ફળ નીવડી છે જેથી કરીને નગર પાલિકાએ સફાઈ અને પાણી વેરો માફ કરવો જોઈએ તેવી જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબીની ચિચાં કંદોઈ સેરીમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતાં વિશાલ પ્રદીપભાઈ સેજપાલએ હાલમાં મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જાહેર જનતાના સામાન્ય પ્રશ્નો પણ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ ઉકેલી શકતા નથી જેમ કે, ગટર ઉભરાવી, કચરાના ઢગલા, પાણી ન આવવું, ચોમાસામાં ગટરના પાણી દુકાન અને મકાનની અંદર ઘૂસી જવા, સહિતના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને આ બાબતે કલેકટર, ચીફ ઓફિસર અને મોરબીના ધારાસભ્યને ઘણી રજૂઆતો કરી છે તો પણ કોઈ પરિણામ મળેલ નથી. જેથી નગરપાલિકા પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે તો પણ પાલિકાના તમામ અધિકારી અને કર્મચારીના પગાર સમય સર મળી જાય છે જેથી કરીને મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવે અને સફાઈ તેમજ પાણીના નામે જે વેરો લેવામાં આવે છે તેની સામે લોકોને સુવિધા મળી રહી નથી જેથી કરીને મોરબીવાસીઓનો તમામ વેરો પાલિકાની ધોર બેદરકારી ન હિસાબે માફ કરવો જોઈએ તેવી માંગ કરી છે.






Latest News