હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત

મોરબી નગર પાલિકા સફાઈ અને પાણી બાબતે લોકોને સારી સુવિધા આપવામાં આ વર્ષે નિષ્ફળ નીવડી છે જેથી કરીને નગર પાલિકાએ સફાઈ અને પાણી વેરો માફ કરવો જોઈએ તેવી જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબીની ચિચાં કંદોઈ સેરીમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતાં વિશાલ પ્રદીપભાઈ સેજપાલએ હાલમાં મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જાહેર જનતાના સામાન્ય પ્રશ્નો પણ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ ઉકેલી શકતા નથી જેમ કે, ગટર ઉભરાવી, કચરાના ઢગલા, પાણી ન આવવું, ચોમાસામાં ગટરના પાણી દુકાન અને મકાનની અંદર ઘૂસી જવા, સહિતના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને આ બાબતે કલેકટર, ચીફ ઓફિસર અને મોરબીના ધારાસભ્યને ઘણી રજૂઆતો કરી છે તો પણ કોઈ પરિણામ મળેલ નથી. જેથી નગરપાલિકા પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે તો પણ પાલિકાના તમામ અધિકારી અને કર્મચારીના પગાર સમય સર મળી જાય છે જેથી કરીને મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવે અને સફાઈ તેમજ પાણીના નામે જે વેરો લેવામાં આવે છે તેની સામે લોકોને સુવિધા મળી રહી નથી જેથી કરીને મોરબીવાસીઓનો તમામ વેરો પાલિકાની ધોર બેદરકારી ન હિસાબે માફ કરવો જોઈએ તેવી માંગ કરી છે.






Latest News