મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત


SHARE











માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક રોડ સાઈડમાં ટ્રક ટ્રેલર ઉભા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અન્ય ટ્રકના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જનાર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધર્મમેઘ કોમ્પલેક્ષના બીજા માળે રહેતો મુન્નાકુમાર રાજેન્દ્રપ્રસાદ ખરવાર (23)એ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક પહેલા આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 9995 લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની સાઈડમાં ટ્રકની લાઈન હતી અને ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 5 બીવી 2219 ના ઠાઠામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને તે ટ્રક આગળના બીજા ટ્રકના ઠાઠામાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા (47)ને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News