ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત


SHARE













માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક રોડ સાઈડમાં ટ્રક ટ્રેલર ઉભા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અન્ય ટ્રકના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જનાર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધર્મમેઘ કોમ્પલેક્ષના બીજા માળે રહેતો મુન્નાકુમાર રાજેન્દ્રપ્રસાદ ખરવાર (23)એ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક પહેલા આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 9995 લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની સાઈડમાં ટ્રકની લાઈન હતી અને ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 5 બીવી 2219 ના ઠાઠામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને તે ટ્રક આગળના બીજા ટ્રકના ઠાઠામાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા (47)ને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News