સૌરાષ્ટ્રના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પૂણ્યતિએ મોરબીમાં જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો
પીપળીયારાજ પીએચસી દ્વારા કોટડા નાયાણીની શાળામાં વ્યસન સામે જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE
પીપળીયારાજ પીએચસી દ્વારા કોટડા નાયાણીની શાળામાં વ્યસન સામે જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ
પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી કોટડા નાયાણી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્ર દોરવામાં આવેલ હતા, ત્યારબાદ RBSK ટીમના મેડીકલ ઓફીસર ડો મહેજબીન મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલીયારાજ ના સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળા ના આચાર્ય એચ.આર.ગોહેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો